શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ (ગુજરાત રાજ્ય) દ્વારા આયોજીત હર ઘર વિશ્વકર્મા ચિત્ર સ્પર્ધા ૨૦૨૪-૨૫નું સુંદર આયોજન થયું.
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ (ગુજરાત રાજ્ય) દ્વારા આયોજીત હર ઘર વિશ્વકર્મા ચિત્ર સ્પર્ધા ૨૦૨૪-૨૫ નું સુંદર આયોજન થયું જેમાં વિવિધ શહેરમાંથી વિશ્વકર્મા પરિવારના પાંચેય પુત્રો એટલે કે લુહાર સુથાર કડિયા કંસારા અને સોની પરિવારજનોના દીકરા-દીકરી તેમજ યુવાનો અને વરિષ્ઠ જ્ઞાતિજનોએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો.
.................................................
આ ચિત્ર સ્પર્ધા એ આપણાં સમસ્ત વિશ્વકર્મા સમાજ માટે આધ્યાત્મિક અને સંસ્કારથી પરિપૂર્ણ ઉત્સવ ગણી શકાય. ઉત્સવ એટલા માટે કે જેટલા સ્પર્ધકો સાથે અમારી સમસ્ત ટીમ ચિત્ર સ્પર્ધાના સમયગાળા દરમિયાન સંપર્કમાં રહી તેમની સાથેના સંવાદ અને ઉત્સાહને રૂબરૂ વાંચ્યો હતો. અમારા અનુભવ પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ પરંપરાગત રીતે વિશ્વકર્મા સમાજનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. અમારી સાથે જેણે પણ આ સ્પર્ધા દરમિયાન ઉત્સાહને લઈને વાતચીત કરી ત્યારે સ્પર્ધકો અને તેમના પરિવારનો ખૂબ સાથ સહયોગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે આપણાં વિશ્વકર્મા સમાજના પરિવારોમાં આધ્યાત્મિક સંચાર જેવા દર્શન અને દર્પણ ના પણ દાખલા જોવા મળ્યા હતા. જેમણે આ ચિત્રો માં ખૂબ મહેનત કરી પોતાના રીતે મંતવ્યો દર્શાવી સાથે પત્રો પણ મોકલ્યા હતા. આપણાં વિશ્વકર્મા સમાજમાં પરિવારો પાસે વિશ્વકર્મા પુરાણ પણ ન હતી તેવા ઘણા પરિવારો દ્વારા વિશ્વકર્મા પુરાણ વસાવ્યું છે. આ એક એવો પ્રસંગ ગણી શકાય કે આપણાં સંસ્કાર અને પરંપરાગત કૌશલ ને બહાર લાવવા માટેનો આ પ્રયાસ છે. જ્યારે સ્પર્ધકોના ઘરમાં જ્યારે ચિત્ર દોરાઈ રહ્યું હતું ત્યારે તેમના ઘરનું વાતાવરણ અને સંસ્કાર દીપી ઉઠયા હતા તેવા પણ પ્રસંગો અમને રૂબરૂ અને ફોન પર વાતચીત કરી જણાવેલ હતા. આ સ્પર્ધાથી અમારી સંસ્થા ઘર ઘર સુધી વિશ્વકર્મા ભગવાનને પહોંચાડવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. આ સ્પર્ધામાં કુલ 174 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ઉમર કેટેગરી પ્રમાણે દરેક કેટેગરીમાં દસ દસ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે. અને જેઓના ચિત્રો અને કૌશલ વિજેતામાં શામિલ ન થયેલ હોય તેવા સ્પર્ધકોને ખાસ વિનંતી કે આપનો ઉત્સાહ ખૂબ ઉત્તમ હતો સાથે એક વાત જરૂર યાદ રાખવી જોઈએ કે આ માત્ર સ્પર્ધા નહીં પણ આપની અંદરની કલા બહાર લાવવા માટેનો આ પ્રયાસ સફળ પ્રયાસ હતો જેમાં અમારી સંસ્થા દ્વારા સફળતા મેળવી છે. આપ સૌના ઉત્તમ પ્રયાસ જ અમારી કામગીરી છે.તમામ સ્પર્ધકોને શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા અનેક અનેક શુભકામનાઓ.
અંતે આ હર ઘર વિશ્વકર્મા ચિત્ર સ્પર્ધા માં આપણાં વિશ્વકર્મા સમાજની અનેક સ્નેહીઓ, સમાજ સેવકો અને ગત વર્ષના સ્પર્ધકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ ચિત્ર સ્પર્ધાનો મેસેજ દરેક સુધી પહોંચાડયો તે બદલ અમે તમારા ઘણાં ઘણાં આભારી છીએ. સાથે આ ચિત્ર સ્પર્ધાના શિલ્ડના દાતા પરિવાર અને નિર્ણાયક પરિવારના અમે ખૂબ ખૂબ આભારી છીએ. સાથે આ ચિત્ર સ્પર્ધામાં કોઈપણ પ્રકારની ભૂલ કે સુધારો કરવો યોગ્ય લાગે તો તે અચૂક જણાવવો જેથી આવતા વર્ષે અમારી સંસ્થા દ્વારા તેને યોગ્ય ન્યાય મળે તેવો પ્રયાસ જરૂર રહેશે.
આ ચિત્ર સ્પર્ધાથી તમારા ઘર પરિવારનું વાતાવરણ વિશ્વકર્મા દાદાના સંસ્કાર પ્રકાશમય આશીર્વાદ અને તેમના વિશે જ્ઞાન મળી રહે તેવા પ્રયાસો અને ઉદ્દેશ સાથે અમારી સંસ્થા કરી રહી છે આ સ્પર્ધાથી ઘણા પરિવારના સભ્યો દ્વારા અમોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે તેના અમે આભારી છીએ.
.................................................
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ (ગુજરાત રાજ્ય) દ્વારા આયોજીત હર ઘર વિશ્વકર્મા ચિત્ર સ્પર્ધા ૨૦૨૪-૨૫
ઉમર કેટેગરી પ્રમાણેના વિજેતાઓ
કેટેગરી (૧)
ઉમર ૧૨ થી ઉમર ૨૫ વર્ષ સુધીના પ્રથમ દસ ચિત્ર વિજેતાઓ
(૧) સિદ્ધિ અતુલભાઈ ચિત્રોડા - ગોંડલ
(૨) યાત્રી લલિતકુમાર પંચાસરા - જુનાગઢ
(૩) કુલદીપ વિજયભાઈ હરસોરા - ઉપલેટા
(૪) નિધિ બકુલભાઈ ડોડીયા - કઠોદરા (કામરેજ)
(૫) મુદ્રા ધીરેનભાઈ પંચાલ - વસ્ત્રાલ (અમદાવાદ)
(૬) હિમાની રાજેશભાઈ પઢારીયા - સુરેન્દ્રનગર
(૭) અવની નારણભાઈ પરમાર - નિકોલ (અમદાવાદ)
(૮) રિદ્ધિ વિજયભાઈ હરસોરા - ભાવનગર
(૯) પાર્થિવ રાજુભાઈ મિસ્ત્રી - છાણી (વડોદરા)
(૧૦) જનન મિતેશભાઈ પંચાલ - ઉકરડી (દાહોદ)
.................................................
કેટેગરી (૨)
ઉમર ૨૬ થી ઉમર ૪૫ વર્ષ સુધીના પ્રથમ દસ ચિત્ર વિજેતાઓ
(૧) ચેતનાબેન જતીનભાઈ પંચાલ - ખોખરા (અમદાવાદ)
(૨) ગૌરવ જસવંતભાઈ પંચાલ - વડોદરા
(૩) તુષાર ડી. વઘાડીયા - વડોદરા
(૪) શૈલેષભાઈ આર. કડિયા - ઈશનપુર (અમદાવાદ)
(૫) ઉષાબેન હસમુખભાઇ વાઘેલા - મેઘપર બોરીચી (આદિપુર)
(૬) નીતલબેન નિતેશભાઈ સુથાર - નારોલ (અમદાવાદ)
(૭) જીગીશાબેન દામજીભાઈ ખંભાયતા - વાંકાનેર
(૮) દિક્ષિતાબેન કડિયા - ઉંઝા
(૯) રિદ્ધિ વિનોદભાઈ ધ્રાંગધરીયા - પડધરી (રાજકોટ)
(૧૦) સલોનીબેન માધવલાલ સુથાર - ડીસા
.................................................
કેટેગરી (૩)
ઉમર ૪૬ થી ઉમર ૭૫ વર્ષ સુધીના પ્રથમ દસ ચિત્ર વિજેતાઓ
(૧) હિનાબેન એમ. ગજ્જર - અમદાવાદ
(૨) વસંતભાઈ મનુભાઈ મેવાડા - ઊંઝા
(૩) દિલીપભાઈ હરિભાઈ કવા - ભાલકા (વેરાવળ)
(૪) જતીનભાઈ ભીખુભાઈ પંચાલ - ખોખરા (અમદાવાદ)
(૫) લલ્લુભાઈ દુર્લભજીભાઈ મકવાણા - શેલા (અમદાવાદ)
(૬) વિનોદભાઈ સોમનાથ ગજ્જર - કલોલ
(૭) ગીતાબેન પરાગભાઈ પંચાલ - શાહીબાગ (અમદાવાદ)
(૮) બંસીધરભાઈ મગનભાઈ ગજ્જર - સી ટી એમ (અમદાવાદ)
(૯) મૃણાલીબેન પંચાલ - વડોદરા
(૧૦) જયેશભાઈ સી. સુથાર - વડોદરા
.................................................
આયોજક -
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ
(ગુજરાત રાજ્ય)
જય શ્રી વિશ્વકર્મા






