
જક્ષની માતાજીના મંદિર, સાદરા ખાતે, સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના દરેક ગોળ, એક બીજાથી પરિચિત થાય અને, સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના ગોળો એક થાય અને, સમાજના વિકાસ માટે સારા આયોજનો થઇ શકે તે માટે સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના દરેક ગોળના પ્રમુખ અને મંત્રીઓની ચિંતન મીટીંગનું આયોજન શ્રી બાવન ગોળ પંચાલ સમાજ, પ્રાંતિજ દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી બાવન ગોળ પંચાલ સમાજ, પ્રાંતિજની અધ્યક્ષતામાં મળેલ ચિંતન મીટીંગમાં સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના પંચાલ સમાજના વિવિધ ગોળોનાં પ્રમુખ અને મંત્રી હાજર રહ્યા હતા. દરેક સમાજ અને ગોળના પ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દરેક ગોળના પ્રમુખોએ સમાજના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને દરેક ગોળના પ્રમુખોએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા અને સમાજને એક કરી આગળ લઇ જવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.
દરેક ગોળના પ્રમુખોએ શ્રી બાવન ગોળ પંચાલ સમાજ, પ્રાંતિજ દ્વારા આયોજન કરવામાં આવેલ ચિંતન મીટીંગની સરાહના કરી હતી. તેમજ સફળ આયોજન બદલ પ્રમુખ વિશાલભાઈ પંચાલ અને મંત્રી શ્રી ધીરજભાઈ પંચાલને દાદાનો ફોટો ભેટ આપી શ્રી બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતીજની કામગીરીને બિરદાવી હતી.

