મળતી માહિતી મુજબ શ્રી વિશ્વકર્મા સમાજની ગુર્જર સુતાર જ્ઞાતિના કચ્છના ભુજ રહેતા માંડવીયા પરિવારના પ્રિયાબેન માંડવીયા ઉંમર વર્ષ 33 અને એમની એકની એક પુત્રી જીયા ઉંમર વર્ષ આઠએ રાત્રિના સમયે ઝેરી દવા પી અને અંતિમ પગલું ભર્યું હતું. પત્નીને કેન્સર હોવાથી બીમારી થી કંટાળી માનસિક થાકી ગયેલા પ્રિયાબેનના પતિ ઉમંગભાઈ માંડવીયા દોઢ માસ પૂર્વે જ ગળે ફસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ સદમો સહન ન કરી શકેલ પ્રિયાબેનએ આ અંતિમ પગલું ભર્યું હતું. આવી વિકટ પરિસ્થિતિમાં માંડવીયા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું આ દુઃખદ સમાચારથી સમસ્ત ગુર્જર સુથાર સમાજમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ હતી.
શ્રી વિશ્વકર્મા સમાજની માતા પુત્રીએ ઝેરી દવા પી અંતિમ પગલું ભર્યું..!!
bySV NEWS
-
0
