"વિશ્વાસ, વિઝન અને વિકાસના સિદ્ધાંતો પર ચાલતી ભારતીય જનતા પાર્ટી કરશે સર્વજન હિતાય સર્વજન સુખાયના કાર્યો"



શિવાય હોટેલ, થરાદ ખાતે બનાસકાંઠા બી.જે.પી. ડોકટર સેલ દ્વારા આયોજિત બેઠકમાં બનાસકાંઠા લોકસભા ના ભાજપ ના ઉમેદવાર ડો. રેખાબેન ચૌઘરી એ હાજરી આપીને સર્વસમાવેશી, પ્રગતિશીલ, સશક્ત અને સમૃદ્ધ વિકસીત ભારત@2047 ના નિર્માણ માટે કટિબદ્ધ ભારતીય જનતા પાર્ટીને બહુમત સાથે જીતાડી જિલ્લાને કેસરિયામય બનાવવાનો સંકલ્પ કરી , તમામ મિત્રો ને ભાજપ ને સમર્થન આપવા વિનંતી કરી . 

    આ બેઠકમાં બનાસકાંઠા ના લોકપ્રિય સાંસદ શ્રી પરબત ભાઈ પટેલ સાહેબ,થરાદ વિધાનસભા ના સંયોજક શ્રી શૈલેષ ભાઈ પટેલ ડૉ. શંકરભાઈ સુથાર પ્રભારી, બક્ષી મોર્ચા લોકસભા બનાસકાંઠા,IMA ના ડો. મિત્રો , IDA ના ડો મિત્રો , BAMS-BHMS ના ડો મિત્રો , physiotherapist ડો મિત્રો ,X-ray technician મિત્રો , lab technician મિત્રો તથા chemist-pharmacist મિત્રો બહુ જ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા .ઉપસ્થિત તમામે મોદી સાહેબ ને સમર્થન આપવા માટે તથા ત્રીજી વખત પી.એમ. બનાવવા માટે બનાસકાંઠા માં થી મોટી લીડ સાથે એક કમળ દિલ્હી મોકલવા માટે શ્રી રામ ભગવાન ની જય બોલાવી સંકલ્પ લીઘો .

માહિતી : ડો. શંકરભાઈ સુથાર (બનાસકાંઠા)

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું