શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ, સુરત દ્વારા આગામી શ્રી વિશ્વકર્મા જયંતીની ઉજવણી અને 31 માં સમૂહલગ્નના આયોજન માટે તારીખ - 01/01/24 ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી..
આ તકે આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ પ્રાપ્ત થયો અને કાર્યક્રમ વિશે સંવાદ પણ થયો.
આ તકે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ સુરતના પ્રમુખ શ્રી દશરથભાઈ જાદવાણી, શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ સુરતના પ્રમુખ શ્રી જગદીશભાઈ સચાણીયા, શ્રી વિશ્વકર્મા મહિલા મંડળના પ્રમુખ શ્રી દેવિકાબેન જાદવાણી, શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ સુરતના ટ્રસ્ટીઓ અશ્વિનભાઈ જાદવાણી, અજય સોંડાગર ઉપસ્થિત રહ્યા...
સમાજના પ્રમુખશ્રી તથા હોદેદારોએ સમાજના કાર્ય હેતુથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની મુલાકાત લીધી.



