ભાજપ પક્ષ દ્વારા હાલ ગુજરાત ના દરેક જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા કરવામાં આવી રહી છે.
અમરેલી માં તારીખ 21, 8, 2021 નારોજ જન આશીર્વાદ યાત્રામાં કેબિનેટ મંત્રી પરસોતમ ભાઈ રૂપાલા અમરેલી જિલ્લામાં કરી હતી. ત્યારે શ્રી વિશ્વકર્મા
સમાજ ના શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને વિશ્વકર્મા વંશજ કારીગર સમિતિ ગુજરાત અને ગુજ્જર સુથાર સમાજ દ્રારા આ જનયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સમાજ ના સંગઠન ના પ્રમૂખ શ્રી અરુણભાઈ બી આદ્રેજા, ઉપ પ્રમુખ વિશાલ ખંભાયતા, અને સમાજનાં આગેવાનો દ્રારા કેબિનેટ મંત્રી પરસોતમ ભાઈ રૂપાલા નું પુસ્તકો આપીને સન્માન કરવામાં આવ્યું. સાથે સમાજ ના આગેવાનો
દિલીપ ભાઈ વડગામા, કનુભાઈ આદ્રેજા, અને કાળુભાઇ ખંભાયતા પણ જોડાયા હતા.






