શ્રી વિશ્વકર્મા સમાજ માં સંગઠન મજબુતી ની સાથે હવે લોક જાગૃતિ ની પણ જરૂર છે. આપણા શાસ્ત્રો પુરાણો નું પણ જ્ઞાન પણ ઓછા લોકો ધરાવતા હશે.
હવે લોકો માં આપણા ગ્રંથો અને પુરાણો તથા વિશ્વકર્મા દાદા વિશે લોકો ને સમાજ પડે અને સમાજ નું એ વિશે જ્ઞાન વધે તે માટે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ લઈ ને આવી રહ્યું છે. સમાજ વિશ્વકર્મા દાદા વિશે જાગૃતિ આવે અને વિશ્વકર્મા દાદા ના મહિમા નો ફેલાવો થાય તે માટે વિશ્વકર્મા યુવા વિચાર ( વિશ્વકર્મા દાદા ના પ્રચાર અને જાગૃતિ અભિયાન માટે ઓન લાઇન પરીક્ષા લેવા જઈ રહ્યા છે . જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
● જે પણ ટોપ 5 માં આવશે તેમને સંસ્થા તરફ થી ટ્રોફી તેમજ સર્ટી આપવા માં આવશે
●પરીક્ષા 12 સપ્ટેમ્બર 2021 ના રોજ લેવા માં આવશે
●પરિણામ 17 સપ્ટેમ્બર 2021 ના રોજ જાહેર કરવા માં આવશે
●👉આ પરીક્ષા માં વિશ્વકર્મા સમાજ ના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે અને 35 વર્ષ સુધી ના ઉમર ના વ્યક્તિ ભાગ લઈ શકે છે
●👉આ પરીક્ષા માં ભાગ લેવા માટે ઉમેદવારે ઉપર ના પોસ્ટર માં આપેલો કયું-આર કોડ સ્કેન કરી ફોમ ભરી નોંધણી કરી શકે છે તથા સોસીયલ મીડિયા માં આપેલી લિંક ખોલી ફૉમ ભરી નોંધણી કરી શકે છે




