ઉપસ્થિત સૌ આમંત્રીતો, મહેમાનોનું સ્વાગત બુકે નહીં બુકથી કરવામાં આવ્યું. જેમાં પૂ. મહેન્દ્રબાપુને શાલ તથા બુક મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રસિકભાઇ વાઘસણા તથા ટ્રસ્ટીશ્રી અરવિંદભાઇ ગંગાજળીયા દ્વારા આપવામાં આવેલ. શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટના સેવાના સહભાગી શ્રી જમનભાઇ સિનરોજા , શ્રી જગદિશભાઇ પાટણવાડીયા, શ્રી પ્રાણજીવનભાઇ દુદકીયા , શ્રી જગદિશભાઇ સાંકડેચા , શ્રી નરેશભાઇ જાદવાણી , શ્રી રાજેશભાઇ ગન્દર , શ્રી કિશોરભાઇ બકરાણીયા , શ્રી દિનેશભાઇ ધોરાજીયા વિગેરે દ્વારા ઉપસ્થિતોને બુક આપી સ્વાગત કરવામાં આવ્યું . ભારતીય સંસ્કૃતિ અનુરૂપ શબ્દપુષ્પ દ્વારા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રસિકભાઇ ડી . વાઘસણા દ્વારા સૌનું હદયના ઉમળકાતી સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું . આ તકે ઉપસ્થિત સૌ કોઈને અને વિશ્વકર્મા વંશ તમામ પરિવારો સંસ્થાની વિવિધ સેવા યોજનામાં જોડાઇ સંગઠન સેવા સાથે સામાજિક ઉત્કર્ષ પ્રવૃત્તિને વેગવંતી બનાવે તેવી હાર્દિક અપીલ કરી . શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટના ધાર્મિક , સામાજીક સેવાકાર્યોના ભેખધારી , તન - મન ધનથી સહયોગ આપનારા એવા આપણી વચ્ચેથી વિદાય લીધેલ સાત અગ્રણીઓને મરણોત્તર સન્માન (આત્મ ગૌરવ એવોર્ડ) થી તેમના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા . જેમાં (૧) સ્વ . ઇશ્વરભાઇ ટપુભાઇ ધોરાજીયા , (૨) સ્વ . દયાળજીભાઇ વીરજીભાઇ મારૂ , (૩) સ્વ . લાલજીભાઇ નાનજીભાઇ ગજજર , (૪) સ્વ . રાજેશભાઇ વિઠ્ઠલભાઇ અંબાસણા , (૫) સ્વ . મનસુખભાઈ જગજીવનભાઈ વડગામા , (૬) સ્વ . ગીરીશભાઇ ચંદુભાઈ વઢવાણા , (૭) સ્વ . ગોપાલભાઈ અમરશીભાઈ દાવડા - જસદણ વતી તેમના પરિવારોને પૂ . મહંત શ્રી મહેન્દ્રબાપુના વરદ્ હસ્તે ‘ ‘ આત્મ ગૌરવ સન્માન ’ ’ એનાયત કરવામાં આવ્યું . પ્રાસંગીક ઉદ્બોધનમાં શ્રીમતિ કંચનબેન રાજેશભાઇ સિધ્ધપુરા (કોર્પોરેટર , વોર્ડ -૧૬ , રા.મ્યુ.કો.) એ જણાવ્યું કે વિશ્વકર્મા વંશજ માટે ઉત્કૃષ્ટ સેવાની કામગીરી કરતી શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટની સેવા અવર્ણનીય છે , ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા .
શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટની સામાજિક સેવા કાર્યોની ગાથામાં શ્રી રમણિકભાઇ આર . પાટણવાડીયાએ જણાવ્યું કે શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટનો મુખ્ય ઉદેશ્ય ભગવાન શ્રી વિશ્વકર્માજીના પ્રચાર - પ્રસાર સાથે ધાર્મિક પુસ્તકો પ્રકાશન ઉપરાંત સ્વજનની હયાતી બાદ પરિવારને ખૂબ મોટી આર્થિક હૂંફ આપતી યોજના પરિવાર સહાય યોજના ' ' કે જેમાં દેશના કોઇપણ વિશ્વકર્મા વંશજ ભાઈ- બહેનો જેઓની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની હોય તે આ યોજનામાં સભ્ય થઇ શકે છે અને વાર્ષિક માત્ર પંદરસો ભેટથી પરિવાર સહાય યોજનાનો લાભ મળી શકે છે . જેમાં જરૂર ઉભી થયે ભરેલ પૈસા (રકમ) ની મળવાપાત્ર રકમમાંથી ૨૫ % મેડીકલ લોન સ્વરૂપે પણ મળી શકે છે . હાલમાં આ યોજનામાં ૭૫૦ સભ્યો નોંધાયેલા છે . એવી જ વૃધ્ધો , નિરાશ્રિતો માટેની “ તબીબી સહાય યોજના'માં નોંધાયેલા ૧૦૦ નિરાધારોને દર છ મહિને ચેકથી મેડિકલ સહાય આપવામાં આવે છે . રાજકોટ શહેર માટે આ વર્ષ વિશ્વકર્મા વંશજ પરિવારો માટે શરૂ થયેલ સ્વજનના અવસાન સમયે એક ટાઇમ નિઃશુલ્ક સાદુ ભોજન પુરૂ પાડવામાં આવે છે . વધુને વધુ પરિવારો સંસ્થાના સેવા કાર્યોમાં જોડાઈને યથાયોગ્ય યોગદાન આપે તેમ જણાવ્યું . શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટને શરૂઆતથી આજ સુધી સેવા કાર્યો માટે આત્મનિર્ભર બનાવવા માટે સહયોગ આપનાર દાનવીરો દાતાશ્રીઓ કુલ ૩૬ ને મહાનુભાવોના વરદ્ હસ્તે શાલથી સન્માનીત કરવામાં આવ્યા . કાર્યક્રમની આભારવિધી ટ્રસ્ટી શ્રી પ્રદિપભાઈ કે . કરગથરાએ સંભાળેલ જ્યારે સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન શ્રી રમણિકભાઇ આર . પાટણવાડીયા ( માનદ્ મંત્રીશ્રી , શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ ) દ્વારા પોતાની આગવી અને મધુર શૈલીમાં કરવામાં આવ્યું . કાર્યક્રમના અંતે સૌ માટે ગરમા - ગરમ ભજીયા ( રસોડા વ્યવસ્થા ) શ્રી રમેશભાઇ ગંગાજળીયા ટ્રસ્ટી શ્રી ગુ.સુ. પ્ર.મંડળ , શ્રી મથુરભાઇ આર . પાટણવાડીયા - ઉપાધ્યક્ષ શ્રી ગુ.સુ.પ્ર.મંડળ- રાજકોટ , શ્રી વિમલભાઇ સોંડાગર , શ્રી અનિલભાઇ વાઘસણા , શ્રી મનિષભાઇ મારૂ , શ્રી કેતનભાઇ સોલગામા તથા બહેનો માટે વ્યવસ્થા શ્રી માધવીબેન વાઘસણા , શ્રી ઉષાબેન મારૂ , શ્રી પ્રિતીબેન પાટણવાડીયા , શ્રી જયનાબેન વાઘસણા , શ્રી રસિલાબેન પાટણવાડીયાએ સંભાળેલ . કાર્યક્રમ પૂર્ણ થયે ૧૫૦ થી વધુ આમંત્રીતો , સભ્યો ભાઇ - બહેનોએ અલ્પાહારનો આસ્વાદ લીધેલ . સૌને જય વિશ્વકર્મા લેખન રજુઆત : રમણિકભાઇ પાટણવાડીયા (સેવાભાવીશ્રી , શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ)
AD




