વણોદના બહુવિધ પ્રતિભા કલાકાર શ્રી જગદીશભાઈ ગજ્જર


                               સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વણોદ ગામમાં કેશવલાલ ( ભગત ) ને ત્યાં જન્મ ( જ . તા . ૨૭-૧૧-૪૯ ) નામ શ્રી જગદીશભાઈ ગજજર જે ડિપ્લોમા એન્જિનિયરનો અભ્યાસ કરી ગામમાં જ રહ્યા અને તેમણે આગવી સૂઝ , કળા , સંગીત , ભકિત જોઈને આપણે આનંદિત થઈ ઊઠીએ , 

         લાકડાનું નકશીકામ લાકડાના નકશીકામ ઉપર ચાંદી મઢવી અને સિમેન્ટની મૂર્તિઓ બનાવવી , સિંહાસન બનાવવા , ચિત્રકામ  અક્ષર લેખન , દ્રશ્ય , વિવિધ પેઈન્ટીંગ કામ કરે છે સાથે  કલાસીકલ તબલાવાદન , ભકિત સાહિત્યના રૂપમાં ગીતોની રચના પણ કરે છે . 


                    ગુજરાત વિધાનસભામાં લાકડાના નકશીકામ દ્વારા રાષ્ટ્રચિન ( ત્રણ સિંહની મુખાકૃતિ ) નું કામ પણ વણોદના લોકકલાકર શ્રી જગદીશભાઈ ગજજરે કરેલ છે . વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં નકશીકામ સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યા સાયલા ( ભગતનું ગામ ) માં ચાંદીનું સિંહાસન કામ માણસોની માંડીવું ચાંદીકામ કર્યું છે .
           શ્રી જગદીશભાઈ ગજજરે કોરોના ની મહામારી સાથે જોડી ને એક કવિતા ની રચના પણ કરી છે નીચે વિડીઓમાં કલીક કરી ને સાંભળી શકશો







ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું