આ પ્રસંગે સ્વ. કાન્તિભાઈના જીવન અને તેમના સમાજપ્રતિના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. પાટણવાડીયા પરિવારે જણાવ્યું કે આજના સમયમાં આરોગ્ય સેવા અતિ આવશ્યક બની ગઈ છે અને જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક મદદ મળી રહે તે હેતુથી આ ઓક્સિજન મશીન અર્પણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સેવા કાર્ય દ્વારા અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જીવદયાની મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, રાજકોટના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંડળના પ્રતિનિધિઓએ પાટણવાડીયા પરિવારના આ સેવા કાર્યને ખૂબ જ સરાહનીય ગણાવી તેમનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આવા દાનથી સમાજમાં સેવા, સહકાર અને સંવેદનશીલતાની ભાવના વધુ મજબૂત બને છે.
સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભાવસભર વાતાવરણમાં સંપન્ન થયો અને સ્વ. કાન્તિભાઈ પાટણવાડીયાના સ્મરણાર્થે કરાયેલ આ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું.
માહિતી : અજયભાઈ પાટણવાડીયા, વેરાવળ
