શ્રી ગુર્જર સુથાર જ્ઞાતી રાજકોટ દ્વારા દર વર્ષ ની જેમ આ વરસે પણ સમુહ લગ્ન નું આયોજન કરેલ છે.
આ આયોજન તારીખ 14-2-2022 અને સોમવાર ના દિવસે રાખવામાં આવેલ છે. શ્રી ગુર્જર સુથાર સમાજ રાજકોટ એક યાદી માં જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન મા ભાગ લેવા ઇચ્છતા સમાજના લોકો ને પોતાની નોંધણી તારીખ 4-1-2022 સુધી ફોર્મ લઈને તારીખ 5-1-2022 સુધી શ્રી વિશ્વકર્મા દાદા ના મંદિર, દિવનપરા, રાજકોટ પહોંચતા કરવાના રહેશે.
શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે સમૂહ લગ્ન મા કાયમી દાતા પણ બની શકો છો જેની રકમ 11000/- તથા તેના થી વધુ નોંધાવી અને કાયમી દાતા બની શકો છો.
વધુ માં જણાવવા મા આવ્યું હતું કે આ સમૂહ લગ્ન માં દીકરીઓ ને કરિયાવર પણ આપી શકો છો.