શ્રી વિશ્વકર્માજયંતી ની રજા જાહેર કરવા માટે "સમાજનો અવાજ"

મુખ્યમંત્રીશ્રી  ને સંબોધીને પોસ્ટ કાર્ડ લખી વિશ્વકર્મા સમાજની એકતાનું પ્રતીક દર્શાવ્યું

       પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) ના સભ્યો દ્વારા તા. 26/12/2020 ના શનિવારે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વકર્મા જયંતીની મહા સુદ તેરસ ની ફરજિયાત રજા જાહેર કરવામાં આવે એ માટે "સમાજ નો અવાજ" નામના અભિયાન અંતર્ગત માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને સંબોધીને પોસ્ટ કાર્ડ લખી વિશ્વકર્મા સમાજની એકતાનું પ્રતીક દર્શાવ્યું. જેમાં ભાઈઓે તથા બહેનો મોટી સંખ્યા માં હાજર રહ્યા. 


         આ સાથે સમગ્ર વિશ્વકર્મા સમાજના લોકોને આ પોસ્ટ કાર્ડ લખી વિશ્વકર્મા જયંતીની ફરજિયાત રજા મંજુર કરવાની ઝૂંબેશ માં પોતાનુ યોગદાન આપે એવી અપીલ કરવામાં આવી.

માહિતી : શ્રી ધનજીભાઈ પંચાલ ( પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ)





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું