તારીખ 06/12/2020 ના રોજ અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં હરિદર્શન ચાર રસ્તા પાસે આવેલા બગીચાનું નામકરણ "વિશ્વકર્મા ઉદ્યાન" કરવામાં આવ્યું જેમાં દસક્રોઇ તાલુકાના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાભાઈ પટેલ તથા અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર શ્રી અને નરોડા વોર્ડના કોર્પોરેટ શ્રી તથા પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) ના સભ્યોએ હાજરી આપી હતી તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું વિશ્વકર્મા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.
માહિતી : શ્રી ધનજીભાઈ પંચાલ ( પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન )

